પંજાબના પૂર્વ CMએ કર્યો ખુલાસો: મારા પુચ હુમલાના નિવેદનનું ખોટું અર્થઘટન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06052024_131508_Channi.webp)
- 06 May, 2024
જમ્મુ-કાશ્મીરના પુચમાં તાજેતરમાં થયેલા એક હુમલા અંગે ટિપ્પણી કરવા બદલ હાલ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા થઈ રહી છે. આ સંદર્ભમાં ચન્નીએ ખુલાસો કરતા કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
આતંકવાદી હુમલા અંગે રવિવારે એક નિવેદન કરતા ચન્નીએ કહ્યું હતું કે ભાજપ દ્વારા આ જીત માટે કરાતી સ્ટંટબાજી છે અને આ બધુ અગાઉ નક્કી કર્યા મુજબ થતુ હોય છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ચૂંટણ નજીક આવે ત્યારે આ પ્રકારની સ્ટંટબાજી શરૂ થાય છે. આવા હુમલાઓમાં કોઈ પણ પ્રકારનું સત્ય હોતું નથી.
ચન્નીના આ નિવેદનના પગલે બીજેપી નેતાઓએ તેમને આ અંગે માફી માંગવા કહ્યું છે. પોતાની ખૂબ જ ટિપ્પણી થયા બાદ પૂર્વ સીએમએ આ અંગે એક વીડિયો બહાર પાડ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ